Breaking News

મણિનગરમાં ભેખડ ધસી પડતા એકનું મોત,3 ગંભીર,ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્કયૂ કરવામાં સફળતા હાથ લાગી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »