Breaking News

નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા, ત્રણ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ

નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.70 મીટર પહોંચી છે. હાલ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરુચ અને વડોદરા કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. ડેમમાં ત્રણ લાખ પાણીની આવક થયા બાદ દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જળ સ્તર વધતાની સાથે ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે. જેના કારણે નર્મદા કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.ડભોઇ નજીક પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક વધવાને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કિનારાના ચાર ગામના લોકોને સાવધાન કરવામાં આવ્યું છે. નદી કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામને એલર્ટ રખાયા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?