પતિનો વિરહ એક કલાક પણ જીરવી ન શકી પત્ની વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠી

વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો.

ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુના એક કલાક બાદ જ પુષ્પાબેનનું પણ આઘાતમાં મૃત્યુ થયું હતું. વસમી ઘડી તો ત્યારે બની રહી, જ્યારે વૃદ્ધ દંપતીની એકસાથે ગામમાંથી અર્થી નીકળી હતી.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »