અમદાવાદમાં 608 હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જોડાણ કપાય તેવી પૂરી સંભાવના છે. જેમાં ઉત્તરાયણ બાદ સોમવારથી ઝુંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. આ માટે એએમસી તંત્રએ 24 બિલ્ડિંગની યાદી પણ તૈયાર કરી લીધી છે. ચાર દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિંડ ગ્રીનના સાતમા માળે ફ્લેટમાં આગ લાગવાથી 17 વર્ષીય કિશોરીનું દાઝી જવાના કારણે મોત નિપજ્યું હતું.
