મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું સૌથી મોટી ક્રૂરતા

by chanchal bhuj bhuj
0 comments

દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે એક મહિલાના ચારિત્ર્ય પર દોષારોપણ કરવાથી વધુ ક્રૂર બીજું કશું ન હોઈ શકે.
કોર્ટે ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડાનો ચુકાદો આપતી વખતે આ વાત કરી હતી. 27 વર્ષથી અલગ રહેતા દંપતીના છુટાછેડાના

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે માનસિક ક્રૂરતા” શબ્દ એટલો વ્યાપક છે કે તે “નાણાકીય અસ્થિરતા” ને તેના કાર્યક્ષેત્રમાં લઈ શકે છે. ધંધા કે વ્યવસાયમાં પતિની મજબૂત સ્થિતિ ન હોવાને કારણે આર્થિક અસ્થિરતા માનસિક તકલીફમાં પરિણમી શકે છે. તે પત્ની પ્રત્યેની માનસિક ક્રૂરતાનો સતત સ્રોત કહી શકાય. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે જણાવ્યું હતું કે, “હાલના કિસ્સામાં, માનસિક વેદનાને સમજવી સરળ છે કારણ કે મહિલા કામ કરી રહી હતી અને પતિ નવરો હતો તેમ છતાં તે પત્ની પર ગેરકાયદેસર સંબંધોના ખોટા આરોપ લગાવતો હતો અને તેને હલકી સમજતો હતો. કોર્ટે કહ્યું કે એક મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું સૌથી મોટી ક્રૂરતા છે.

You may also like

Leave a Comment