Breaking News

અમદાવાદમાં સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના મોત

ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદના ધોળકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કરવા ઉતરેલા સફાઇ કામદારોનાં મોત થયા છે. વિગતો મુજબ ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા સફાઈ કર્મી ઉતર્યા હતા. જોકે અચાનક આ બંને સફાઈ કર્મીઓનાં મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. વિગતો પ્રમાણે પી.સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બે કામદારો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતર્યા બાદ તેમનુ મોત થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ આ બંને મૃતક કામદારો શિયાળ ગામના હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ ધોળકા ફાયર સાથે અમદાવાદ ફાયરને બોલાવાઇ હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »