જેએનયુમાં નવા નિયમ, ધરણાં કરશો તો રૂ. 20,000 દંડ, હિંસા કરશો તો એડમિશન રદ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)ના નવા નિયમો અનુસાર પરિરસમાં ધરણા કરશો તો વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરશો તો તેમનું એડમિશન જ રદ કરી દેવામાં આવી શકે છે કાં પછી 30,000 રૂ. સુધીનો દંડ વસૂલાઈ શકે છે.

નોટિફિકેશન અનુસાર આ નિયમ 3 ફેબ્રુઆરીએ લાગુ થઈ ગયા. આ નિયમ બીબીસી ડૉક્યુમેન્ટ્રી બતાવવા અંગે થયેલા દેખાવો પછી લાગુ કરાયા હતા. નિયમ સંબંધિત દસ્તાવેજમાં કહેવાયું છે કે તેને કાર્યકારી પરિષદે પણ મંજૂરી આપી દીધી છે. આ પરિષદ યુનિવર્સિટી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ છે.

About chanchal bhuj bhuj

Check Also

ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?