હેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા.પાકિસ્તાન મોડી રાતથી સતત ભારતના અલગ અલગ શહેરો પર હવાઇ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ પોતાના સુદર્શન ચક્ર S-400ની મદદથી તેના એટેકને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ છે.કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, 8-9 મેની રાત્રે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો.આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ આ હતો કે તે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાત કેટલી છે તે જાણવા માંગતા હતા. આ ડ્રોન તુર્કિએના હતા. ભારતે મોટાભાગના ડ્રોન હુમલાને નિષ્ફળ કરી નાખ્યો હતો. પાકિસ્તાને 36 જગ્યા પર 400થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો.કચ્છના સીરક્રીકથી જમ્મુ સુધી આ હુમલા કરવામાં આવ્યા હતા.
8 મે રાત્રે 8 વાગ્યાથી 11.30 વાગ્યા વચ્ચે પાકિસ્તાને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીરના 36 જગ્યામાં એક સાથે 400 ડ્રોનથી હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ઓપરેશન સિંદુર અપડેટ : (8-9th May) – લેહથી કાઈને સર ક્રીક સુધી પાકિસ્તાને 300-400 ડ્રોનથી ભારત ઉપર હુમલો કર્યો!
– ડ્રોનના અવશેષોની તપાસ કરતાં પ્રાથમિક રીતે ડ્રોન તુર્કીના હોય એવું સામે આવ્યું છે!
– LoC ઉપર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ!