Breaking News

ચોટીલા-રાજકોટ હાઈવે પર બસમાં લાગી આગ આગમાં 1નું મોત, 4 દાઝ્યાં આગ લાગવાનું કારણ અકબંધ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

‘આપાગીગાના ઓટલા’ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની ચાલુ બસમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. બસ ઉભી રાખી દેવાતા મુસાફરો નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે, બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ચોટીલા પાસે પરોઢિયે બનેલા આગના બનાવમાં 70 વર્ષીય વૃદ્ધાનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજ્યું છે. મૃતક વૃદ્ધા નોઈડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આગનું કારણ FSLની તપાસ બાદ જાણવા મળશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?