જામનગર જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રુપિયા 10,23,750 છે. 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત 3,77,730 રુપિયા છે. 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત રુપિયા 10,530 છે. 300 કિલોગ્રામ ચણા બજાર કિંમત 16,550 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી 4 રીક્ષા, 1 મોટરસાઇકલ અને 5 વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ, તંત્ર દ્વારા કુલ રુપિયા 16, 51,510 મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે. તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે.
