અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી છે. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે વારસાગત પૂજા જે પરિવાર સંભાળે છે તેમને જ આ પૂજા કરવા દેવી જોઇએ. આ મામલે હાઈકોર્ટમાં 12મી જાન્યુઆરીએ સુનાવણી થશે. હાઇકોર્ટે ટકોર કરી છેઠે કે, જ્યાં સુધી કોર્ટ આખરી નિર્ણય પર ન આવે ત્યાં સુધી વારસાગત પૂજાને અટકાવી શકાશે નહી. કોર્ટે કલેક્ટર, પરંપરાગત પૂજારી પરિવારને અને સરકારને નોટિસ પાઠવી છે.

અંબાજી મંદિરમાં પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ મંદિરની સેવા પૂજાનો અધિકાર સરકારે કાંતિલાલ ઠાકરને આપ્યો હતો.  વર્ષ 1984માં કાંતિલાલ ઠાકરનું અવસાન થતાં તેમના વીલ મુજબ તેમના બે પુત્રો મહેન્દ્રકુમાર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર પૈકી મોટા પુત્ર મહેન્દ્ર કુમારે પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.  જોકે, મહેન્દ્ર કુમારનું થોડા સમય પહેલા નિધન થતાં તેમના બે દીકરાઓએ પૂજારી તરીકેનો વહીવટ મેળવવા સરકારમાં અરજી કરી હતી. તો તેમની સામે  કાંતિલાલ ઠાકરના નાના દીકરા દેવીપ્રસાદે પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »