મોરબી ભાજપ અગ્રણી હસુભાઈ સોરીયા, મહેશ આહીર અને ચિરાગ કણઝારીયા આજે ગાંધીનગર ગયા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી. તેઓ પોતાની કારમાં પરત આવતા હોય ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેની કાર પર ત્રણથી ચાર ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. જે પથ્થરમારાની ઘટનામાં સદનસીબે આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી બંને સુરક્ષિત છે.
તો પથ્થરમારો લુંટના ઈરાદે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણોસર તે સ્પષ્ટ થયું નથી. જોકે ભાજપ આગેવાનોએ આ રસ્તેથી આવનારા વાહનચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.