Breaking News

માતાનામઢ જવાનો હો તો આ નિયમો જાણી લેશો

 માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમ્યાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટશ્રી મિતેશ પંડયાએ એક જાહેરનામા દ્વારા તા.૩૦/૦૯/૨૦૨૪ના વહેલી સવારે ૬ કલાકથી તા.૧૨/૧૦/૨૦૨૪ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ “આશાપુરા માતાજી” ના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવેલ છે.
આ હુકમ અન્વયે સરકારી નોકરી પર કામ કરતી વ્યકિત એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઇ વસ્તુ લઇ જવાની ફરજ હોય. અથવા અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
માતાના મઢ રસ્તાના ટ્રાફીક નિયમન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાના તથા જિલ્‍લા બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે. હજારોની સંખ્‍યામાં પદયાત્રીઓ માટે નાના નાની રિક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતા હોય છે. આ સમય દરમિયાન માતાના મઢ મધ્યે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્યામાં એસ.ટી.ની બસો પણ અવર-જવર કરતી હોઇ પદયાત્રીઓને મુશ્કેલી પડે છે અને ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી બને છે.
આ ઉપરાત રસ્તા પરથી લિગ્નાઇટની ટ્રકો જેવા ભારે વાહનો અવર-જવર કરતા હોઇ પદયાત્રીઓના માર્ગમાં અવર-જવરમાં કોઇ ખલેલ કે અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય અને કોઇ ગંભીર અકસ્માત ન બને તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ભારે વાહનોનું ટ્રાફિક નિયમન કરવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટશ્રી મિતેશ પંડયાએ જાહેરનામું બહાર પાડી તા.૩૦/૦૯/૨૦૨૪ના વહેલી સવારના ૬ કલાકથી તા.૧૨/૧૦/૨૦૨૪ મોડી રાત્રીના ૨૪ કલાક સુધી વાહનોની અવર-જવર માટે માતાનામઢના રસ્‍તા ટ્રાફિક નિયમન માટે હુકમ જારી કરી કર્યા છે.
જેમાં સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક કંપની તરફથી ભરેલ ગાડીઓ (ભારે/અતિભારે વાહનો) ભુજ તરફ આવવા-જવા માટે નો રૂટ સાંઘી, અલ્ટ્રાટેકથી નલીયા, મોથાળા, દેશલપર, સુખપરથી હિલગાર્ડન એરપોર્ટ રોડ, માધાપર ઉપર થઇને થઇ શકશે. ભુજથી સાંઘી, જેપી તથા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની તરફથી જતી ખાલી ગાડી (ભારે/અતિભારે વાહનો) નો રૂટ નળ સર્કલ ભુજથી એરપોર્ટ બાયપાસ પ્રિન્સ રેસીડેન્સી, મિરઝાપર, દહીંસરા, લુડવા, ગઢશીશા ચાર રસ્તાથી મોથાળા નલીયાથી વાયોરનો રહેશે.
લીફરી લિગ્નાઇટ ખાણ માટે લીફરી ખાણ મેઈન ગેટથી બંને તરફ એક કિ.મી. સુધીના વિસ્તારને “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવે છે ત્યાં કોઇ વાહનો પાર્ક કરવાના રહેશે નહીં. લીફરી લિગ્નાઇટ ખાણ તરફથી જતા ખાલી વાહનો (ભારે/અતિભારે વાહનો) ભુજથી લોરીયા થઈને નિરોણા થઇને નખત્રાણા તરફથી લિગ્નાઇટ ખાણમાં જતા વાહનોને ટોડીયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ જશે. લિગ્નાઇટ ભરેલા વાહનો લીફરી, રવાપર ચાર રસ્તા, ઉગેડી, નખત્રાણા, દેશલપર, મિરઝાપર, હિલ ગાર્ડન બાયપાસ થઇને નળવાળા સર્કલ થઇને જઇ શકશે. આ વાહન વ્યવહાર સવારનાં ૧૦ થી સાંજના ૧૮ કલાક સુધીના સમય દરમિયાન લિગ્નાઇટ ખાણ સુધી અવરજવર કરી શકશે તેમજ સાંજના ૧૮કલાક થી સવારના ૧૦કલાક સુધી અવરજવર બંધ રહેશે.
ઉમરસર લિગ્નાઈટ ભરેલ અને ખાલી ગાડી(ભારે/અતિભારે વાહનો)માટે ભુજથી લોરીયા  થઈને નિરોણા થઈને નખત્રાણા તરફથી ઉમરસર લિગ્નાઈટ ખાણમાં જતી ખાલી ગાડીઓ રવાપર ચાર રસ્તાથી ઘડાણી, વાલ્કા મોટા, પાનેલી, દયાપર થઈ લિગ્રાઈટ ખાણ ઉમરસર જઈ શકશે. ઉમરસર ખાણમાંથી ભરેલી ગાડીઓ દયાપર, પાનેલી, વાલ્કા મોટા, ઘડાણી, રવાપર ચાર રસ્તા, ઉગેડી, નખત્રાણા, દેશલપર, મિરજાપર, હિલગાર્ડન બાયપાસ થઈને નળવાળા સર્કલ થઈને જઈ શકશે. આ વાહન વ્યવહાર સવારના કલાક ૧૦-૦૦ થી સાંજના ૧૮-૦૦ સુધીના સમયગાળા દરમિયાન લિગ્રાઈટ ખાણ સુધી અવરજવર કરી શકશે તેમજ સાંજના કલાક ૧૮-૦૦ થી સવારના કલાક ૧૦-૦૦ સુઘી અવરજવર બંધ રહેશે.
લીફરીથી એ.ટી.પી.એસ.નાની છેર જતા ભારે/અતિભારે વાહનો માટે, લીફરી ખાણથી લિગ્રાઈટ ભરી નાની છેર એ.ટી.પી.એસ.જતા ભારે/અતિભારે વાહનો લીફરીથી રવાપર, ઘડાણી, પાનેલી, દયાપર, ઉમરસર થઈને એ.ટી.પી.એસ. જઈ શકશે, નખત્રાણાથી પાન્ધ્રો તરફ જતાં અતિભારે વાહનો નખત્રાણા, ટોડીયા ફાટક, ટોડીયા, નેત્રા,રવાપર, ઘડાણી, પાનેલી, નારાયણ સરોવર વાળા હાઈ-વે માર્ગ ઉપરથી પસાર થશે જયારે આજ રૂટ ઉપરથી પાન્ધ્રોથી નખત્રાણા, માતાના મઢ તરફ જઈ શકશે, માતાના મઢ-નખત્રાણા-ભુજ તરફ જતા ભારે/અતિભારે સિવાયના તમામ વાહનો. એસ.ટી.બસો તથા પ્રવાસી બસો નખત્રાણા, મથલ, રવાપર, માતાના મઢ વાળા હાઈ-વે માર્ગ ઉપરથી પસાર થશે,જયારે આજ રૂટ ઉપર થઈને ભુજ નખત્રાણા, માતાના મઢ તરફ જઈ શકશે આ જાહેરનામાનાં સમયગાળા દરમિયાન ભુજ-નખત્રાણા-માતાનામઢ સુધીના (અવર-જવર) સમગ્ર રોડ ઉપર પરિવહન કરતા નાના વાહનોની સ્પીડ લીમીટ મહતમ ૫૦ કિ.મી./કલાકની રહેશે.
આ હુકમ અન્વયે પોલીસ ખાતાના અને પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત વાહનોને મુકિત આપવામાં આવી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં કોલેજ રોડ પર ઉભી થઇ હંગામી ચણીયાચોળીની માર્કેટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?