Breaking News

સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી મંદિર ના મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામ્યા

વાગડ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ના વિસ્તારોમાં આસ્થા નુ પ્રતિક એવા રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવ કાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી ના મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા તેઓ છેલ્લા પચ્ચીસ વર્ષ થી વધુ સમય થી રવેચી મંદિર ના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધન થી સેવકગણ મા શોક ની લાગણી ફેલાઇ છે આજે સવારે દશ વાગ્યે એમની પાલખીયાત્રા નીકળી હતી જેમાં રવ નાની રવ ડાવરી જેસડા રાપર ભચાઉ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાં થી સેવકો ઉપસ્થિત રહ્યા હતા રવેચી મંદિર ના પ્રાંગણમાં તેમના નશ્વર દેહ ને સમાધિ આપવામાં આવી હતી જેમાં રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા રાજપૂત સમાજ ના પ્રમુખ રાજુભા જાડેજા ગોડજી ભટ્ટી રાશુભા જાડેજા જિલ્લા પંચાયત ના ઉપ માજી વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ભિખુભા સોઢા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા મહંત ગંગાગીરી બાપુ ના નશ્વર દેહ ને રવેચી મંદિર ના પ્રાંગણમાં ભાવિકો ના દર્શનાર્થે રાખવા મા આવેલ તેમની પાલખી યાત્રા દ્વારા સમાધી સ્થળ પર સમાધિ આપવામાં આવી હતી મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામતા તેમના સેવકો મા શોકની લાગણી પ્રસરી હતી

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજના હમીરસર તળાવની સ્વામિનારાયણ મંદિરના આયોજન હેઠળ મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

ઐતિહાસિક શહેર ભુજની મધ્યમા આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?