Breaking News

જમ્મુ કાશ્મીરના અખનૂરમાં પેસેન્જર ભરેલી બસ ઊંડી ખીણમાં પડી, 20 લોકોના મોત 40 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવખત મોટી દુર્ઘટના થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જમ્મુના અખનૂરમાં ભક્તોથી ભરેલી બસ ખાડામાં પડી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 28થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના મૃતદેહ બસમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ પણ બચાવકાર્યમાં મદદ કરી છે.બસ ખાઈમાં પડી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ લોકોને મુશ્કેલીથી બસની અંદરથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?