‘કચ્છના લોકોએ વાવાઝોડાં સામે હિમ્મત બતાવી’, PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા વાવાઝોડાં સામે હિમ્મત બતાવનારા કચ્છના લોકોની પ્રશંસા કરી હતી.

મન કી બાતનો આ 102મો એપિસોડ છે. ઉલ્લેખનીય છે કે મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર છે અને તે દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હશે. એટલા માટે આ વખતે મન કી બાત એક અઠવાડિયા વહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. તેમણે આ દરમિયાન વાવાઝોડાં સામે હિમ્મત બતાવનારા કચ્છના લોકોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જૂને જ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ વખતે મન કી બાત કાર્યક્રમ 18 જૂન, 2023ના રોજ પ્રસારિત થશે. તેમણે આ કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે તમારા સૂચનો મેળવીને હંમેશા આનંદ થાય છે. NaMo App અથવા MyGov પર તમારો અભિપ્રાય શેર કરો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »