બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે

બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા તથા સ્થાનિક વહીવટી તંત્રના સંપર્કમાં રહી સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે તેમ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »