દુઃખો દુર કરવાની વિધી કરાવવાના બહાને મેઘપરમાં સોનાના દાગીના લઇ અજાણી મહીલા છનનન….

ભુજ
મેઘપર ગામે દુખો દુર કરવાની વિધિ કરાવીને એક મહીલાના સોનાના પાટલા અને મંગળસુત્ર મળીને 1,41,952થી વધુ રકમના દાગીના લઇને કોઇ અજાણી મહીલા રફુચક્કર થઇ જતા આ મામલો આજે પોલીસદફતરે નોંધાયો છે.
આ અંગે મેઘપર ગામના હસ્મિતાબેન યોગેશકુમાર ભંડેરી ઉ.વ.37એ નોંધાવેલી ફરીયાદ મુજબ ગત તા.20-3ના સવારે 11 વાગ્યાના અરસામાં કોઇ અજાણી મહીલા હસ્મિતાબેનના દિકરા, દીકરી અને પતિને દુખ દર્દ કરવાની વાતો કરી ફરીયાદીને ભોળવીને તેના કહેવા પ્રમાણે દુખો દુર કરવાની વિધી કરાવડાવી ફરીયાદી પાસેથી ચાર તોલા (48.73ગ્રામનું) સોનાનું મંગળસુત્ર જેની કીંમત રુપીયા 74,069 તથા એક જોડ સોનાના પાટલા(44.66ગ્રામ) જેની કીંમત રુપીયા 67,883 એમ કુલ રુપીયા 1,41,952ના સોનાના દાગીના લઇ જઇને ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ છે.આ અંગે માનકુવા પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાયેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં વડાપ્રધાનની મુલાકાત સમયે ક્યાં રસ્તા ચાલુ, વાંચો અહેવાલ

ભુજ, આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?