Breaking News

રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમ ના લીધે સગીર વયના બાળક ની હત્યા કરાઈ

રાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા: તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા હતા
રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા વાગડ મા સનસનાટી મચી ગઈ હતી
પોલીસ ના સુત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરનાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવ નાં બગીચા પાસે એક સગીર નો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવાર જનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી, જ્યાં બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામ નાં સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલ લોહી લુહાણ હાલતમાં પડ્યો

હતો. જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર મરણ જનારના ભાઈ દ્વારા જાણવા જોગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
માત્ર તેર વર્ષનાં સગીર ની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડ ધામ મચી પડી હતી, કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને
માત્ર તેર વર્ષનાં સગીર ની હત્યા કરાતા પોલીસ તપાસ હાથ ધરી હતી કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયાર થી ઘા મરાયા હતા, તો હાથની હથેરી ઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા. આટલા ઘા મારવા પાછળ નો શું ઉદેશ્ય હશે તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમર નાં સગીર ઉપર આટલી નિર્દયતા થી ઝનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આરોપીઓમાં એક તો કોટુબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, આરોપીઓ પણ સગીર વયનાં હોવાનું
જાણવા મળી રહ્યું છે.
ઓનલાઈન ગેમ કારણ બની હતી
રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલ સગીરનાં મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠા ધોરણમાં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલ બગીચામાં ગેમ રમતા હતા, જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે. સગીર વયના બાળક ની હત્યાના બનાવ અંગે ની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે અંગે સ્થાનિક પોલીસ ને સુચના આપી હતી વધુ તપાસ બાલાસર પીએસઆઇ એસ.વી ચૌધરી ચલાવી રહ્યા છે

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?