Breaking News

લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 4ના મોત, 20 ઘાયલ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ મકાનનો કાટમાળ દૂર કરવામાં લાગ્યા છે. સુરક્ષાના પગલાં તરીકે આસપાસની ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઘટના સરોજની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે.ટ્રાન્સપોર્ટ નગરમાં ભારે વરસાદ બાદ હરમિલાપ ટાવરનો ડાબો ભાગ ધરાશાયી થયો. હાલ, NDRF અને રાજ્ય પોલીસની ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે, જે ધરાશાયી થયેલા ભાગમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી રહી છે. અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિના મોતની માહિતી છે. તેમજ અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?