18 જૂન સુધી 99 ટ્રેન રદ કરી દીધી, અમુકના રુટ બદલાયા

અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી તોફાન ગુરુવારે ગુજરાતના તટીય વિસ્તારમાં હિટ કરી ગયું.બિપોરજોયના કારણે પશ્ચિમ રેલવેએ 99 ટ્રેનોને 18 જૂન સુધી રદ કરી દીધી છે.

પશ્ચિમ રેલવેએ બિપરજોયને ધ્યાને રાખતા આગામી ત્રણ દિવસ સાવધાનીના ભાગરુપે અન્ય અમુક ટ્રેનો રદ કરવાની ઘોષણા કરી છે. પશ્ચિમ રેલવે તરફથી એક સૂચના આપવામાં આવી છે કે, તેમણે સાવધાનીના ભાગરુપે 99 ટ્રેનો રદ કરી દીધી છે. આ ઉપરાંત ત્રણ ટ્રેનોને ગંતવ્ય સુધી પહોંચે તે પહેલા રોકી દેવામાં આવી છે. જ્યાર સાત અન્ય ટ્રેનને તેમની નક્કી કરેલા સ્ટેશનની જગ્યાએ બીજા સ્ટેશન પરથી ચલાવામાં આવી છે.

ચક્રવાતના કારણે અત્યાર સુધીમાં 99 ટ્રેનો રદ કરી છે. 39 ટ્રેનોને તેમના ડેસ્ટીનેશન સ્ટેશનથી પહેલા રોકી દેવામાં આવી છે. બિપોરજોયથી બેના મોત થયા છે, જ્યારે કેટલાય વિસ્તારમાં વરસાદ થયો છે. તો વળી કચ્છ જિલ્લામાં ચક્રવાતી તોફાનના કારણે ભારે પવન અને ભારે વરસાદ થયો હતો. જેનાથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું. અનેક જિલ્લામાં મોટી સંખ્યામાં ઝાડ ઉખડી ગયા. કેટલાય વિસ્તારોમાં અંધારપટ છે અને સમુદ્રની નજીક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »