મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા,

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, કિન્નર અખાડાએ એક મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં એક નવો આચાર્ય મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે, અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સંતો સતત વિરોધ કરી રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?