Breaking News

યુપીમાં ટ્રેજેડી / ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ થતાં 50 લોકોના મોત, સેંકડો બેહોશ થતાં વધશે આંકડો

હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 50થી વધુ લોકોના મોત થયાં છે. નાસભાગમાં ઘણી મહિલાઓ પણ કચરાઈ હોવાથી મોતનો આંકડો વધી શકે છે. સત્સંગના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે ભીડ ભેગી થઈ હોવાથી આ ટ્રેજેડી સર્જાઈ હતી.અત્યાર સુધી 50થી વધુ મહિલાઓના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.હાથરસના સિકંદરરાવના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો પરંતુ ધાર્યા કરતાં વધારે ભીડ હતી. એક અનુમાન પ્રમાણે સત્સંગમા 50 હજાર લોકો પહોંચ્યાં હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર જવા લાગ્યાં હતા આને કારણે મોતનો આંકડો વધ્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?