Breaking News

પાલનપુર-અમદાવાદ હાઇવે પર મોટી દૂર્ઘટના, ત્રિપલ અકસ્માતમાં 3 લોકોનાં મોત

બનાસકાંઠા: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર ,ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતની આ ઘટના ભરકાવાડાના પાટિયા પાસે બની હતી. રોગ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું ‘આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ’

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?