સુરેન્દ્રનગર સોનાપુર રોડ પર કિન્નરો વચ્ચે મારામારી

by JAYENDRA UPADHYAY
0 comments

સુરેન્દ્રનગર જિલ્લામાં કિન્નરોના બે જૂથ વચ્ચે મારામારી અને તોડફોડમાં 25 કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે. જેેેમાં 22 કિન્નરોની કરી ધરપકડ કરાઈ છે. આ મારામારીને કારણે સોનાપુરી રોડ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે A ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં કિન્નરો પહોંચ્યા હતા. મારામારી બાદ LCB અને SOG સહિતનો પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પાસે કિન્નરો દ્વારા મારામારીની ઘટના બની હતી. જેમાં ગુરુ ગાદીના વિવાદને લઈ બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. દર વર્ષથી સંભાળી રહેલ ગુરુ ગાદી બાબતે મામલો નિચકતા બે જૂથો આમને સામે આવી ગયા હતા, ત્યારે ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયા હતા. વીડિયો વાયરલને મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.અમદાવાદ બોટાદ બોચરાજી અને સ્થાનિક અનેરોના જૂથો અમને સામે આવી જતા પથ્થર મારો થયો હતો. આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે A ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં કિન્નરો પહોંચ્યા હતા. મારામારી બાદ LCB, SOG સહિતનો પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સોનાપુર આંબેડકરનગરમાં રહેતા બાબુભાઈ રૂપાદે કિન્નર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં 24 કિન્નરો સામે ફરિયાદ નોંધાય હતી. જેમાં 22 કિન્નરોની પોલીસે ધરપકડ કરી છે. 24 જેટલા કિન્નરો સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ પણ નોંધાય છે, ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.સોનાપુર રોડ ઉપર જતા જુનું પાવર આવશે આવેલું છે. તેમાં આંબેડકરનગર બે માં રહેતા ફરિયાદી બાબુભાઈ અરજણભાઈ રાઠોડ તે પોતે કિન્નર છે, અને તેઓ રૂપાદે કિન્નર એવું નામ ધરાવે છે. તેઓ સુરેન્દ્રનગર કિન્નર ગાદીના ગુરુ છે. ફરિયાદી બાબુભાઈ અરજણભાઈ રાઠોડ તે પોતે કિન્નર છે, અને તેઓ રૂપાદે અનુસૂચિત જાતિના છે, અન્ય કિન્નર સમાજ જાતિપ્રત્યે અપમાનિત કર્યા હતાં, અને તેમના ઘરે CCTVમાં તોડફોડ કરી સવા એક લાખનું નુકશાન કર્યુ હતું. સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટ્રોસિટી અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુલ 24 જેટલા કિન્નરો પર ફરિયાદ નોંધાઈ છે, જેમાં 22ની અટકાયત કરેલ છે, અને 2ની અટક કરવાની બાકી છે, સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલું છે.

You may also like

Leave a Comment