કચ્છમાં બ્લેકઆઉટ સંદર્ભે વહીવટીતંત્રની સુચનાઓ જાણો

ભુજ, શુક્રવાર:
આજરોજ કચ્છના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ તેમજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યોશ્રી તેમજ ચૂંટાયેલા વિવિધ પદાધિકારીશ્રીઓની હાજરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો સાથે બેઠક યોજવામાં આવી હતી. દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઈટો બંધ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સંસ્થાઓ, સંગઠનોના માધ્યમથી નાગરિકોને અપીલ કરી હતી. જોકે, આવી કોઈપણ પરિસ્થિતિને વહેલીતકે પહોંચી શકાય તે માટે તમામ સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરશ્રીને ખાતરી આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સૂચના આપવામાં આવે ત્યારે જ નહીં પણ નિયમિત રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ પાળીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણદળોને સહયોગ આપશે. આમ, વિવિધ સેવાભાવી, અગ્રણી સામાજિક અને અગ્રણી સંસ્થાઓએ કચ્છ જિલ્લામાં સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરીને વહીવટીતંત્રને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ તમામ સંસ્થાઓ/સંગઠનના લોકોની સાથે રહીને સ્વયંભૂ બ્લેકઆઉટના નિર્ણયને બિરદાવ્યો હતો.
આ બેઠકમાં સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, વિવિધ સામાજિક-શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ પ્રતિનિધિશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓએ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંજના સમયથી સવાર સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ તેમજ રક્તદાન, ફૂડ અને પાણી જેવી વ્યવસ્થાઓમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, અધિક નિવાસી કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિજ સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખશ્રી, પ્રતિનિધિશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?