સમસ્ત બ્રહ્મ સમાજના ઈસ્ટ દેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવ એટલે અખાત્રીજ નિમિત્તે રાપર શહેર મા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જે રાપર ચિત્રોડ રોડ પર આવેલા જાગેશ્ચર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાનો શાસ્ત્રોકત વિધિ થી પુજા અર્ચના કરી ભગવાન પરશુરામ ની આરતી કરી હતી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો મનુભાઇ રાજગોર ભરત મઢવી મેહુલભાઇ જોશી ભરત મસુરીયા અનોપસિંહ વાઘેલા મધુભા વાઘેલા જગુભા જાડેજા સંજય ત્રિવેદી કેશુભા વાઘેલા જીગર રાજગોર ઉમેશ સોની શાસ્ત્રી ગૌતમ પંડયા રમેશ ભાઈ વરણવા રોહિતભાઈ રાજગોર સંજય જોષી જયદેવ બાસપીયા કિશોર રાજગોર ગૌરીશંકર મઢવી બળવંત જોશી હસમુખ ખાંડેકા દર્શન જોશી ભાવેશ ભટૈયા બળદેવ ગામોટ નમસ્તે સાગર પંડયા પિયુષ પંડયા સોની સમાજના પ્રમુખ વિનોદભાઈ સોની લાલજી કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા દેના બેન્ક ચોક ખાતે પહેલગામ હુમલા મા માર્યા ગયેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતુંપહેલગામ હુમલા મા શહીદ થયેલા હુતાત્મા ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને સાદાઇ થી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું બાઈક રેલી રદ્દ કરવામાં આવી હતી રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ પી.એલ.ફણેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવા મા આવ્યો હતો સમગ્ર પરશુરામ જયંતી ની ઉજવણી દરમિયાન રાયમલ બાપા ની મઢી મહાપૂજા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંચાલન શાસ્ત્રી ગૌતમ ભાઇ પંડયા એ કર્યું હતું