માતાનામઢમાં ચૈત્રી નવરાત્રીની ધૂમ:પાંચમા નોરતે મહાઆરતી અને રાસ-ગરબાની રમઝટ

ભુજ
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પાંચમા નોરતે બુધવારે રાત્રે મહાઆરતી સાથે મંદિર પરિસરમાં મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ જામી હતી. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ ગરબીની સ્થાપનાની આરતી ઉતારી હતી. ત્યારબાદ કચ્છ-સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ અને રાજા વાસુ ગ્રુપે માતાજીના દુહા-છંદ સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ રાસમાં ભાગ લીધો હતો.

 

આવતીકાલે સાતમા નોરતે રાત્રે 9:15 કલાકે જગદંબા પૂજન થશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ-હવનની ધાર્મિક વિધિ યોજાશે. મોડી રાત્રે 1:30 કલાકે બીડું હોમવામાં આવશે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં માઈ-ભક્તો માં આશાપુરાના દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં મીની મેળા જેવો માહોલ જામ્યો છે. ભક્તોની વિશાળ સંખ્યાને કારણે મંદિર પરિસર સાંકડો પડી રહ્યો છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં વડાપ્રધાનની મુલાકાત સમયે ક્યાં રસ્તા ચાલુ, વાંચો અહેવાલ

ભુજ, આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?