ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ટને રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે. ત્યારે આજની ફાઈનલ મેચના મુકાબલામાં ભારતીય ક્રિક્ટ ટીમનો વિજય થાય તે માટે અમદાવાદમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. નારોલ પાસેના શ્રી મેલડી માતાજીના મંદિર સકુંલમાં ક્રિકેટ ચાહકોની વચ્ચે ભુદેવો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ કરાઈ હતી. સવારે 11 વાગ્યે તિરંગા અને ક્રિકેટરોના પોષ્ટરો સાથે ચાહકોએ ટીમના વિજયની પ્રાર્થના કરી હતી.
