નખત્રાણા:ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત, પશુધન અને માલધારીઓની હાલત કફોડી

નખત્રાણા શહેરના નવા નગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીના બોરમાં ખામી સર્જાતા વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત બન્યો છે.આકરી ગરમીમાં પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે. પાણીના અવાડા ખાલી જોવા મળી રહ્યા છે. પશુઓ તરસ્યા મોઢે પાછા ફરી રહ્યા છે. સ્થાનિક માલધારીઓએ આ સ્થિતિ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.વિશેષ ચિંતાનો વિષય એ છે કે જ્યારે પાણી આવે છે, ત્યારે ઉપલા વિસ્તારમાં કલાકો સુધી પાણીનો બગાડ થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નીચાણવાળા વિસ્તાર સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે.નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. લોકોએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?