જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ ફરમાવેલ છે.
જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) મુજબ શ્રી મિતેશ પંડયા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા આ જાહેરનામા અન્‍વયેનો અમલ તા.૧૯/૧૨/૨૦૨૩ સુધીની મુદત માટે રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યક્તિઓ એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદન પત્ર આપવા પર મનાઇ ફરમાવી છે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઇપણ વ્યક્તિને અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતા ૧૮૬૦ના કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »