ગીરની ભૂમિમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આફ્રિકા તેમજ ભારતના વિવિધ રાજ્યોના વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ, વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, શિક્ષકો અને સિંહ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. ગીરમાં પાછલા એક દશકમાં સિંહોની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો આફ્રિકાના સંશોધનકારો દ્વારા ઉત્સાહપૂર્વક વખાણવામાં આવ્યો. આ સેમિનાર ગુજરાતની બહાર ભારતના અન્ય રાજ્યોમાં પણ સિંહ સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે પ્રેરક બળ પૂરું પાડશે એવો આશાવાદ આફ્રિકાથી આવેલા અને 40 વર્ષથી સિંહ સંશોધન સાથે જોડાયેલા ડૉ. પોલે વ્યક્ત કર્યો.વૈશ્વિક પ્લેટફોર્મ પર ગૌરવગીરની ભૂમિ, જે એક સદીથી વધુ સમયથી એશિયાઈ સિંહોનું એકમાત્ર આવાસ છે, તેણે આજે આંતરરાષ્ટ્રીય સેમિનારનું યજમાનપદ ભાગ્યું. આ સેમિનારમાં આફ્રિકાના સિંહ સંશોધનકારો, ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, શિક્ષકો અને ભારતના અન્ય રાજ્યોના વન્યજીવ સંવર્ધન સાથે સંકળાયેલા અધિકારીઓએ ભાગ લઈને સિંહ સંવર્ધન અંગે ચર્ચા કરી. આફ્રિકાની સરખામણીએ ગીરના જંગલોની બહારના વિસ્તારોમાં સિંહોનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનું આફ્રિકન સંશોધનકારોએ જણાવ્યું, જે દર્શાવે છે કે ગીરના અનન્ય સંવર્ધન મોડેલનું વૈશ્વિક સ્તરે અનુકરણ થઈ શકે છે.ગીરનું સંવર્ધન વૈશ્વિક પ્રેરણાઆફ્રિકામાં 40 વર્ષથી સિંહ સંશોધન સાથે જોડાયેલા ડૉ. પોલે જણાવ્યું કે, ગીરમાં સ્થાનિક લોકો, માલધારીઓ અને વન વિભાગના સહયોગથી સિંહ સંવર્ધનમાં નોંધપાત્ર સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે, આફ્રિકામાં જંગલની બહાર સિંહોનું અસ્તિત્વ અકલ્પનીય છે, જ્યારે ગીરમાં સિંહો જંગલની બહારના વિસ્તારોમાં પણ સરળતાથી જોવા મળે છે. ગીરના લોકોનો સિંહો પ્રત્યેનો લાગણીસભર વ્યવહાર આફ્રિકામાં દુર્લભ છે, જે ગીરની સફળતાનું મુખ્ય કારણ છે. આફ્રિકામાં સિંહો પ્રત્યે લાગણીની અછતઆફ્રિકામાં સિંહોની સંખ્યા ભલે વધુ હોય, પરંતુ ત્યાં સિંહો પ્રત્યે લોકોમાં લાગણીનો અભાવ જોવા મળે છે. ગીરમાં સ્થાનિક લોકો, માલધારીઓ, વન વિભાગ અને સરકારનો સિંહો પ્રત્યેનો લાગણીશીલ અભિગમ આફ્રિકામાં જોવા મળતો નથી. ડૉ. પોલે ચિંતા વ્યક્ત કરી કે, આફ્રિકામાં જંગલની બહાર સિંહોનો શિકાર સામાન્ય બની ગયો છે, અને કેટલાક કિસ્સાઓમાં લોકો માંસ માટે પણ સિંહોનો શિકાર કરે છે, જે ચિંતાજનક છે.ગુજરાત વન વિભાગના હેડ ઓફ ફોરેસ્ટ સ્ટાફ એ.પી. સિંહે આ સેમિનારને ગીરના સિંહ સંરક્ષણ માટે નવી આશાનું કિરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, વિશ્વના સાત સૌથી મોટા બિલાડી કુળના પ્રાણીઓમાંથી પાંચ ભારતમાં જોવા મળે છે, અને ગીર એશિયામાં સિંહોનું એકમાત્ર આવાસ છે. આ સેમિનારમાં સિંહોના રહેઠાણ, પાણી, માનવ-પ્રાણી સંઘર્ષ અને રોગો અંગે ચર્ચા થઈ, જેના આધારે ગીરમાં સિંહ સંરક્ષણને વધુ મજબૂત કરવા નિર્ણયો લેવામાં આવશે.
30
previous post

