મુફ્તી સલમાન આઝહરી ને જૂનાગઢ થી કચ્છ લાવવામાં આવ્યા : ભચાઉ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા

કચ્છના પ્રવેશદ્વાર સમા સામખીયાળીમાં ગત 31ના દિવસે આયોજિત તકરીરના ધાર્મિક આયોજન દરમિયાન મુંબઈના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યા બાદ સામખીયાળી પોલીસે મૌલાના અઝહરી અને કાર્યક્રમની મંજૂરી મેળવનાર ગુલશને મહોમ્મદી ટ્રસ્ટના શિક્ષક ગુલામખાન મોર સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલે આજે મુખ્ય આરોપી મૌલાના અઝહરીને ભચાઉ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે.ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ છે. જૂનાગઢના કેસમાં મૌલાનાને જામીન મળતા કચ્છ પોલીસ દ્વારા મૌલાનાનો કબજો મેળવી સામખીયાળીમાં નોંધાયેલા ગુના મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાપરના કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડતી સામખીયાળી પોલીસ

શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »