પોરબંદર, જામનગર અને દ્વારકાની બદલાઈ જશે સુરત! મોદી સરકારે 1271 કરોડના આ પ્રોજેક્ટને આપી મંજૂરી

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર,

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે શક્ય તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યાં ગુજરાત સરકાર રાજ્યના વિવિધ શહેરો વચ્ચે રોડ કનેક્ટિવિટી મજબૂત કરી રહી છે. જ્યારે, કેન્દ્ર સરકાર પણ ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી સુધારવામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં હાઈવે પ્રોજેક્ટ માટે 1271.02 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 1271.02 કરોડના ખર્ચે હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-151Kના પોરબંદર-ભાણવડ-જામ જોધપુર-કાલાવડના સમગ્ર 119.50 કિમીના પટ્ટાને રૂ. 120 કરોડના ખર્ચે પાકા રોડ સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટેડ રસ્તો પોરબંદર નજીક નેશનલ હાઈવે-51 સાથે પોરબંદર જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927D સાથે કાલાવડ જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K રાજ્યના 3 મુખ્ય રાજ્ય ધોરીમાર્ગોને જોડશે. નેશનલ હાઇવે-151K પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે સેવા આપશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની જાહેરાતમાં આ રાજ્ય ધોરીમાર્ગને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર, 8 મોટા પુલ અને 10 બાયપાસ સાથે અપગ્રેડ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આનાથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

You may also like

Leave a Comment