વડોદરા : તસ્કરોએ જૈન મંદિરને નિશાન બંનાવ્યું, દાન પેટી સહિત કિંમતી વસ્તુઓની કરી ચોરી

રાજ્યના વિવિધ શહેરોમાં ચોરો ફરી એક્ટિવ થયા છે. ત્યારે ચોરીની અવાર નવાર ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલી સ્ટેશન પાસે આવેલા જૈન મંદિરમાં ચોરીની ઘટના બની છે. તસ્કરો દાન પેટી સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થયા છે.2 તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કરવા આવેલા બંને તસ્કરો CCTVમાં કેદ થયા છે, ત્યારે પોલીસે CCTVના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જો કે, ચોરીઓએ કેટલા રૂપિયાની ચોરી કરી તે રકમ અંગે ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બે યુવકો મંદિરમાં ઘૂસે છે અને સીધા જ તેઓ દાન પેટી તરફ જાય છે અને તેની અંદરથી પૈસા લેવાની કોશિસ કરે છે. ત્યારબાદ મંદિરની બહાર જાય છે અને ફરીવાર બહાર આવે છે અને ત્યાંથી કંઈક લઈ અને છૂમંતર થઈ જાય છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?