Breaking News

રથયાત્રા પહેલા અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરથી નદીનાં ઘાટ સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાંથી જળયાત્રા મુખ્યયાત્રા ગણાય છે. સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગંગાપૂજન પછી 108 કળશમાં જળનો સંગ્રહ થશે. 108 કળશનાં જળ દ્વારા ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?