રસ્તાની મરામત કામગીરીને અનુલક્ષીને દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ રહેશે

દેશલ૫ર-હાજીપીર રસ્તાની મરામત કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે માટે તેમજ આગામી યોજાનાર હાજીપીરના મેળાના કારણે થતી ટ્રાફિક સમસ્યાને ૫હોંચી વળવા તથા હાજીપીરના દર્શનાર્થે ૫ધારતાં શ્રદ્ધાળુઓની સલામતી માટે તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉ૫યોગ કરવા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ તરફથી તા.૧૧/૦૪/૨૦૨૫ તથા પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજ તરફથી તા.૧૨/૦૪/૨૦૨૫ વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી આનંદ ૫ટેલ (આઇ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીના રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ/રસ્તામાં નખત્રાણા-કોટડા (જ.)-રવા૫ર-માતાનામઢ-દયા૫ર-ઘડુલી-હાજીપીર રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે.

આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો, એમ્બ્યુલન્સ વાહનો અને ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?