વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેનો જોતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. સવાર પાળીમાં બપોરે 12 વાગ્યા સુધી જ શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે.જી હા…અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર DEOએ તમામ સ્કૂલોને પરિપત્ર કરી ગરમીના કારણે સ્કૂલનો સમય સવારનો જ રાખવા માટે તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે.

તમામ સ્કૂલોને આદેશ આપી બાલવાટિકાથી લઈને ધોરણ-8 સુધીની સ્કૂલોમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરાવવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન સ્કૂલોમાં ઓપન એર વર્ગો ન ચલાવવા માટે પણ જણાવાયું છે. આમ, હવે વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાં સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય 12 વાગ્યા પહેલાં પૂર્ણ કરી દેવાશે.

ગરમીના કારણે તમામ છોકરા-છોકરીઓને શાળાએ આવતી વખતે તડકાનો સામનો ન કરવો પડે તે માટે શાળાનો સમય સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. શાળા બંધ થવાનો સમય બપોરે 12 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલોને સૂચના અપાઈ હોવા છતાં સંપૂર્ણ પાલન થતું ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠ્યાં કરે છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?